ચિંતનાત્મક લેખો -
જાણીતા શિક્ષણવિદ વિદ્યાપુરુષ અને નિષ્ણાત મનોચિકિત્સક ડૉ મોહનભાઈ પંચાલનું ૨૦ પ્રકરણોમાં સમાવિષ્ટ આ પુસ્તક ‘અમૃતસમીપે લઈ જનાર’ વિષયો પર આધારિત છે. મૂલ્યલક્ષી શિક્ષણનો પુરસ્કાર અને હિમાયત કરનાર સઘળા વિષયો તેમાં ‘૫’ અક્ષરથી શરૂ થાય છે. ‘પ્રાર્થના’ અને પ્રાર્થના દ્વારા ‘પ્રભુ’ને ‘પરમ’ તેજે લઈ જવાની યાચના પણ ‘૫’ અક્ષરી‘૫’થી આરંભાતી છે. આ પુસ્તકમાં પ્રાર્થના, પ્રેરણા, પ્રસન્નતા, પ્રેમ, પુરુષાર્થ, પ્રગતિ, પ્રવૃત્તિ, પ્રતિજ્ઞા, પરિશ્રામ, પ્રતિભા, પ્રશંસા, પ્રારબ્ધ, પ્રાવીણ્ય, પ્રતિબદ્ધતા, પરિણામ, પરમાર્થ, પરિવર્તન અને છેવટે પૂર્ણતા થકી પરમ તેજનું મહિમાગાન છે. ‘૫’થી આરંભાતા આ બધા વિષયો પર એક સાથે ૨૦ જેટલા લેખોલખાણો પૂર્વઆયોજન સાથે પ્રસ્તુત છે. એ મૂલ્યોમાં, તત્ત્વોમાં અમૃત સમીપે લઈ જવાની ક્ષમતા છે તે આ વિશે વાંચનાર સદ્ય કબૂલશે. આવશ્યક જીવનતત્ત્વો, વ્યક્તિત્વ, લક્ષણો કેળવનાર માટે અમૃત સમીપે જવું અશક્ય નથી જ.
abcdefeu
પૃ. ૨૦૫